કોરોના ના સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને ભાવનગરની સમરસ હોસ્ટેલ માં સારવાર માટે રાખવામાં આવી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ સમરસ હોસ્ટેલ માં કોરોના ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યારે આજે ૮ થી ૧૦ જેટલા દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.