રાજુલાનાં કૈલાસ મુક્તિધામમાં હજારો મણ લાકડાં દાનમાં આવ્યા.... રાજુલાનાં ડેપ્યુટી કલેકટર ડાભી તથા પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી અને વિપુલ લહેરી દ્વારા માનવતાનું કાર્ય કરાયું. રાજુલા કૈલાશ મુક્તિધામ લાખોના ખર્ચે જીર્ણોદ્ધાર સાથે તૈયાર કરવામાં આવ્યું હતું . સુંદર વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી ઘાટમાં કોરોના અથવા ગમે તે કારણો હોય હવે દરરોજના ડેડ બોડી વધારે આવતા જેને કારણે લાકડાઓની તંગી પડતી હતી . લાકડા વિના સ્મશાન ઘાટના વ્યવસ્થાપકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને રોજના લાકડાઓ ઘટી જતા ભારે મુશ્કેલી પડી હતી અંગેનો શંભુ મહારાજ અને રોહિત વાઘેલા દ્વારા વિવિધ ન્યૂઝ પેપરોમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે રાજૂલા કૈલાશ મોક્ષ ધામમાં લાકડાની ઘટ છે. ત્યારે રાજુલાનાં કૈલાસ મુક્તિધામમાં હજારો મણ લાકડાં દાનમાં આવ્યા.રાજુલાનાં ડેપ્યુટી કલેકટર ડાભી તથા પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી અને વિપુલ લહેરી દ્વારા માનવતાનું કાર્ય કરાયું. આ બાબતે સેવાભાવિઓને આગળ આવવાની અપીલ કરવામાં આવતા વિહીપના પ્રમુખ બીપીનભાઈ વેગડાની ટીમે મોક્ષધામની મુલાકાત લીધી હતી . અને તાત્કાલિક ૧૫૦ મણ લાકડાની વ્યવસ્થા કરી ૫૦૦ મણ લાકડાનો જથ્થાનો ઓર્ડર આપવામાં આવ્યો છે તો દાતા વિવેકભાઈના સહયોગથી રૂ .૫૧ હજારનું લાકડા ફાડવાનુ મશીન દાન આપવામાં આવ્યુ છે . આ તકે રાકેશદાદા , ધવલબાપુ દુધરેજીયા , અનિરૂધ્ધસિંહ વાળા , સહિતનાઓએ મોક્ષધામની મુલાકાત લઈ માનવતાની મહેંક પ્રસરાવી હતી.