જાફરાબાદ મા સરકારી હોસ્પિટલ માં દાખલ દર્દી અને તેના સગા ને ફ્રિ ટીફીન ની સેવા આપતી ગુરુકુપૉ ચેરીટેબલ ટ્રસ્ટ અને એકતા ગ્રૂપ ની અનોખી સેવા. જાફરાબાદ શહેર અને તાલુકામાં થી સરકારી હોસ્પિટલ માં આવતા તમામ દર્દીઓને મફત મા બે ટાઇમ જમવાનું જાફરાબાદ ના ગુરુકુપૉ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડોક્ટર ગૌરાંગભાઈ બાંભણિયા તથા એકતા ગ્રૂપ ની રાકેશ બારૈયા તથા અજય સોલંકી દ્વારા સરકારી હોસ્પિટલ માં દાખલ દર્દી અને તેના સગા ને કાયમી માટે ફ્રિ બે ટાઇમ જમવાનું આપવામાં આવી રહ્યું છે જાફરાબાદ ના ડોક્ટર ગૌરાંગભાઈ બાંભણિયા તથા તેમની ટીમે દ્વારા અગાવ લોકડાઉનના સમયે પણ દરેક દર્દીને ને જાત કે ભાત વગર ટિફીન ચા પાણી નાસ્તાની ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત લોકડાઉનમા ફરજ બજાવતા કર્મચારી ની પણ સતતં સેવા કરવામાં આવી હતી ત્યારે હાલ પરીસ્થીતી ના અનુરૂપ ફરી ગયા વષૅ ની જેમ સેવાઓ સરૂ થતો લોકો દ્વારા આ કાયૅ કરોની પ્રશન્નશા કરવામાં આવી રહી છે.