કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન અન્વયે આજ રોજ સરતાનપર (બંદર) ગામે ૪૫ વર્ષથી વધારે ઉંમર ધરાવતા ગ્રામજનો ની ઘરે ઘરે જઈને મુલાકાત લેવામાં આવેલ અને તેઓને સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના રસી લેવા માટે સમજાવવામાં આવેલ અને ગામના લોકો કોરોના વેકસીન લે અને લોકો વેકસીન થી વંચિત ન રહી જાય અને લોકો ને કોરોના વિશે અને વેકસીન વિશે સાચું માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં તળાજા તાલુકા અનુ જાતિ અનું જનજાતિ પ્રા શિ ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ અને સરતાનપર જોળ પ્રા. શાળાના શિક્ષક મહેશભાઈ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ સાથે તા. પં. સદસ્ય પોપટભાઈ ભીલ અને નરેશભાઈ મકવાણા તેમજ સરતાનપર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા