મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશનના પ્રમુખોની મીટિંગ યોજાઇ હતી અને કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે અને મોરબી જિલ્લાના લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની અંદર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન એટલે કે, બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગઇકાલે દુકાનો બંધ રાખવામા આવી હતી જેથી કરીને લોકોની ભીડ રસ્તા ઉપર જોવા મળી ન હતી જો કે, આજે પણ વેપારીઓને તેઓની દુકાનો સ્વયંભૂ સ્વૈચ્છીક લોકડાઉનનો અમ્લ કરીને બંધ રાખી છે જેથી કરીને મોરબી શહેર અને જિલ્લાના તમામ મથકો ઉપર બજારો સૂમસામ જોવા મલાઈ હતી ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને જુદા-જુદા એસો. દ્વારા જે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેમાં વેપારીઓ સહિતના નગરજનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી